$16.99
Genre
Character Sketch
Print Length
160 pages
Language
Gujarati
Publisher
Zenopus Publishing
Publication date
1 January 2023
ISBN
111
આપણે આપણા જીવનમાં અનેક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, પરંતુ એમાંની કેટલીક વિશિષ્ટ વિભૂતિઓ આપણા પર ઊંડો પ્રભાવ પાડી જાય અને અને આપણને યાદરહી જાય છે.
ભાગ્યેશભાઈએ પોતાને સ્પર્શી ગયેલી આવી જ વિભૂતિઓ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે આ પુસ્તકના માધ્યમથી.
અહીં પુરાતન કવિઓની અમર કૃતિઓથી લઈને આજના સમયના સર્જકોની ઉત્તમ કૃતિઓનું રસપાન કરાવ્યું છે.
નીવડેલા ગઝલકારોની કેફિયત, દિગ્ગજ હાસ્યલેખકોના વ્યંગાત્મક નિબંધો, નોબેલ પુરસ્કૃત કવિના મિજાજની ઝલક જોવા મળે છે.
સર્વોદય યુગના મહાપુરુષોએ જગાવેલી સ્વાતંત્ર્યની ચેતનાના પ્રભાવથી લઈને સંતો, સમાજસેવકો અને શિક્ષણવિદોએ પ્રગટાવેલી જ્ઞાનની જ્યોતિનો પ્રકાશ અહીં ઝીલવાનોપ્રયત્ન કર્યો છે.
આજના સમયના શાસકો અને પ્રજાના સેવકોએ જોયેલા નવભારતના સ્વપ્નની ઝાંખી આ પુસ્તકમાં પ્રસ્તુત છે.
સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપતી વિભૂતિઓને વિશિષ્ટ રીતે યાદ કરીને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. સાથે તેમની સાથેના તેમના અંગત પરિચય અને સંબંધવિશે વાત કરી પુસ્તકને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે.
વિવિધ વિભૂતિઓની સુવાસથી મહેકતો આ વિભૂતિકક્ષ દરેક ભાવકનો અંગત ભાવકક્ષ બની જશે.
0
out of 5