₹94.00
MRPPrint Length
88 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2018
ISBN
9789351228363
પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપપ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે.
સારાં માબાપ બનવા માટે કોઈ ડિગ્રી લેવાની નથી હોતી, પણ બાળમાનસની અને બાળવિકાસની ઉચિત સમજ કેળવવાની હોય છે. કદાચ ગઈ પેઢીનાં માબાપ કરતા આજનાંમાબાપ વધુ જાગ્રત અને વધુ હોંશિયાર છે, છતાં બાળઉછેરની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. ડર કે ચિંતા અથવા લોભ કે લાલચથી કરાતો બાળઉછેર એનુંમુખ્ય કારણ છે. પ્રત્યેક માબાપ સમતોલ ચિત્ત રાખી બાળઉછેર કરે તો સમાજ નંદનવન બની જાય અને પ્રત્યેક બાળક મહોરી ઊઠે.
આજનાં માબાપને બાળઉછેર વિશેના અનેક સવાલો, અનેક સમસ્યાઓ પજવે છે અને આજના સ્પર્ધાત્મક વ્યાવસાયિક જગતમાં કહેવાતા ઉકેલો સાથે માબાપને માથેજાહેરાતોનો મારો ઠાલવવામાં આવે છે.
આવા સમયે કોઈ અધિકૃત વ્યક્તિ સહૃદયતાથી વિવિધ મૂંઝવણો અંગે માબાપને માર્ગદર્શન આપે એવા વિશિષ્ટ પુસ્તકની જરૂરિયાતમાંથી આ પુસ્તક રચાયું છે.
ડૉ. રઈશ મનીઆર ગુજરાતના જાણીતા ડેવલપમૅન્ટલ ઍન્ડ બિહેવિયરલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. બાળમનોવિજ્ઞાની હોવા ઉપરાંત એક કવિહૃદયી વિચારક તરીકે તેઓબાળઉછેરની સરળ છતાં ઊંડાણભરી ચર્ચા માંડે છે.
`આરપાર’ મૅગેઝિનના સર્વેમાં ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ 200 પુસ્તકોની યાદીમાં સ્થાન પામેલું આ પુસ્તક ગુજરાતનું ગૌરવાન્વિત સંસ્કાર ઘરેણું છે.
0
out of 5